સુવિચાર

સુવિચાર એટલે શું? સુવિચાર એટલે સારો વિચાર,સદ્દવિચાર. સુવાક્ય બે કે ત્રણ કે ચાર લીટીઓમાં કથન તરીકે લાખઈ જાય તેને સુવિચાર કહે છે. " જીવન ઘડનારી સુંદર ભાષામાં ચોટદાર વેધક અસર કરે તેવા વિચારવંત કથનો એટલે સુવિચાર." વિવેકાનંદ કહે છે," આપણા વ્યક્તિત્વની છાપ આપણા વિચારો માં છે જેની અસર દૂર સુધી ફેલાય છે" આ વિચારો એટલે સુવિચાર. સુવિચાર માટે વપરાયેલ શબ્દો " અમૃત વચન ,સદ્દવિચાર, સૂક્તિ, સુભાષિત,ઉત્તમ વચન,સદ્દવાણી, અવતરણ,સુવચન,પ્રેરક સૂત્રો, સુબોધ વાક્ય ,શુભવિચાર, સારજ્ઞાન મળે તેવું સદાચરણ " સુવિચારની દુનિયા નિરાળી છે. દરેક માણસની ડાયરીમાંથી થોડા સુવિચારો મળી આવશે. શાળા-કોલેજોના બોર્ડ ઉપર સુવિચાર લખવામાં આવે છે. માણસ કોઈને કોઈ મહાનુભાવ કોઈને કોઈ વિશિષ્ટ વ્યક્તિને જીવનમાં આદર્શ બનાવીને ચાલે છે. એના જીવન પ્રસંગોને સ્મરે છે. અને એના ચિંતનને વાગોળે છે. અનુભવના નિચોડ અને ચિંતનની તપસ્યામાંથી સુવિચાર જન્મે છે.