સફળતા માટેનાં સુવિચાર

                    સફળતા  માટેનાં  સુવિચાર
🔬 (1) જે વ્યક્તિ ક્યારેય ભૂલ નથી કરતો તે ક્યારેયનવું શીખવાની કોશિશ નથી કરતો.
મિત્રો જીવનમાં ભૂલ થવી તે તો સ્વાભાવિક છે. માટે ભૂલ થવાની બીકથી જ કઈ નવું ન કરવું તે યોગ્ય નથી. કારણ કે, દરેક ભૂલમાંથી કંઇક નવું શીખવા અવશ્ય મળે છે. માટે ભૂલ થવાનો ભય ન રાખવો જોઈએ અને નવું નવું શીખવાની ધગશ સાથે આગળ વધતા રહેવું જોઈએ. કેમ કે સફળ થવા માટે આગળ વધવું ખુબ જ જરૂરી છે. અને આગળ વધો એમાં ભૂલ પણ થઇ શકે છે તો તમે તે ભૂલથી કૈક શીખો અને આગળ વધો અને હા, ફરી વાર એ ભૂલ ના થવા દેવી એજ સફળ માણસની નિશાની છે.

🔬 (2)બુદ્ધિનો સાચો સંકેત જ્ઞાન નહિ પરંતુકલ્પનાશક્તિ છે
મિત્રો સફળતા પ્રાપ્ત કરવા માટે મજબુત કલ્પનાશક્તિ જરૂરી છે. માત્ર શક્તિ જ માણસને મહાન બનવી શકે છે. આ કલ્પનાશક્તિને હંમેશા વિકસાવ્યા જ કરો. અને એ વસ્તુ પણ ખાસ કે, જો તમે એક વડીલ છો અને તમારા નાના બાળકો હોય તો એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે, જો તમને તમારું બાળક કૈક પૂછે તો તેને હંમેશા સાચો જવાબ જ આપો કોઈ દિવસ ગમે તેવા જવાબ આપીને વાતને ટાળો નહિ કેમ કે, બાળકની એ જ ઉંમર હોય છે કે જયારે તેની કલ્પના શક્તિ વિકસતી હોય છે.
ત્યારે તમે તેમને કઈ ખોટી વાત ના કહો કેમ કે, એ બાળક તમારી ખોટી વાતને પણ સાચી માની લેશે અને જીવનમાં એ કલ્પના શક્તિ મુજબ આગળ વધશે. એટલે હવે ક્યારેય તે બાળકની કલ્પના શક્તિને ઠેસ અહોચે એવી વાત ના કરતા. કલ્પના શક્તી જ આ આધુનિક શોધની પ્રથમ કડી છે.. માટે એ જરૂરી છે કે કલ્પનાશક્તિને હંમેશા વિકસાવો..
🔬  (3) મુશ્કેલીઓના મધ્યમાં  તક છુપાયેલી હોયછે.
મિત્રો, મુશ્કેલીઓથી ગભરાઈને માર્ગ બદલવો ન જોઈએ કારણકે તે મુશ્કેલીઓમાં જ સફળ થવાની તક છુપાયેલી હોય છે. આખરે મુશ્કેલીઓની પેલે પાર જીત રહેલી હોય છે. બસ જરૂર હોય છે તો એ કે મુશ્કેલીઓમાં ટકી રહેવું અને આત્મવિશ્વાસ રાખવો.
🔬 (4) પરિસ્થિતિ મનુષ્યથી પણ વધારે મજબુત હોય છે.
પરિસ્થિતિ મનુષ્યને ક્યાંયથી ક્યાંય પહોંચાડી દે છે. ઘણી વખત પરિસ્થિતિ જ મનુષ્યને બધું શીખવી જતી હોય છે. અને આપણે ગમે પરિસ્થિતિમાં હોઈએ અને ગમે તેવો કપરો સમય હોય તો પણ આપણે તેને યોગ્ય બનાવવા માટે સ્થિર રહેવું જ જોઈએ.
🔬 (5) આપને કંઇક કરવું હોય તો તે અત્યારથી જ શરૂ કરી દેવું જોઈએ.
મિત્રો આપણી પાસે સમય ઓછો છે માટે આપને કઈ કરવા માંગતા હોય તો તેની શરૂઆત અત્યારથી જ કરવી પડશે. કહેવાય છે ને કે,  ” कल करे सो आज करे, आज करे सो अब.” આ વિધાનને માનીને શરૂઆત કરી દેવી જોઈએ. કારણ કે, વીતેલો સમય કોઈને પણ ફરી પાછો મળતો નથી.
🔬 (6) ક્રોધ મુર્ખ લોકોની છાતીમાં વસે છે.
મિત્રો ક્રોધ સમસ્યાનું નિવારણ નથી પણ મૂર્ખતાની નિશાની છે. માણસે ક્રોધ છોડીને ધેર્યથી કામ લેવું જોઈએ. માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ.
🔬 (7) દરેક માણસ જીનીયસ છે, પણ જો તમે માછલીને તેની વૃક્ષ  યોગયતાથી જજ કરવાનું કહેશો તો તે પોતાની આખી જીંદગી એવું વિચારીને ગાળશે કે તે મુર્ખ છે.
અર્થાત દરેક માણસની ખૂબીઓ અલગ અલગ હોય છે. માટે આપણે તેની ખૂબીઓના હિસાબથી જજ કરવું જોઈએ તેમજ આપને જોઈએ પણ આપણી ખૂબીઓ પર ધ્યાન આપવું જોઈએ. તેને વિકસાવવાના પ્રયત્નો કરવા જોઈએ નહિ કે બીજાની ખૂબીઓ જોઇને આપણી ખાસિયતો પડતી મુકીને મુર્ખનું જીવન ગાળવું.
🔬(8)  જો તમે પ્રસન્નતાપૂર્વક જીવવા માંગો છો તો તેને એક વ્યક્તિ કે વસ્તુના બદલે લક્ષ્ય સાથે બાંધો.
મિત્રો લક્ષ્ય પર અડગતા રાખવાથી પ્રસન્નતાપૂર્વક જીવન જીવી શકીએ છીએ. જો આપને આપણી પ્રસન્નતાનો આધાર કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે જોડશું તો તે દુઃખનું મૂળ કારણ પણ બની શકે છે. માટે તમારા ધ્યેય પર કાયમ રહો.
🔬 (9) અસલી જોખમોથી વિશ્વાસની ઓળખથાય છે.
જે માણસ જોખમ નથી લેતા તેની જીંદગીપણ જોખમ થઇ જાય છે. માણસો જોખમ લેવું જ જોઈએ તેનાથી આત્મબળ વધે છે. અને તમારા ખરાબ સમયમાં જ તમે તમારા સાચા સાથીની કે મિત્રની ઓળખ કરી શકો છો.
🔬(10) once you stop learning, start dying. એક વાર તમે શીખવાનું બંધ કર્યું, એટલે માંની લ્યો કે મરવાનું ચાલુ કર્યું.
દરેક માણસે જીવનમાં શીખતા રહેવું જોઈએ. જે માણસ કાંઇક જ શીખવાની ઈચ્છા નથી ધરાવતા તે હકીકતમાં જીવતા નથી તેમ જ કહેવાય. “જેણે શીખવાનું બંધ કર્યું છે,તેણે મરવાનું ચાલુ કર્યું છે.” તેવું આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું માનવું છે.
🔬 (11) નકારાત્મક માણસથી દુર રહો , તે લોકો જ દરેક વસ્તુની સમસ્યા છે.
મિત્રો જીંદગીમાં નકારાત્મક અભિગમ ધરાવતા માણસોથી દુર રહેવું જોઈએ. કારણ કે, તેવા લોકોને નિવારણમાં પણ સમસ્યા જ દેખાય છે. માટે હકારાત્મક બનો. અને હકારાત્મક માણસો જોડે જ રહેવાનું પસંદ કરો.

Comments

Popular posts from this blog

સુવિચાર