પરિશ્રમને લગતા સુવિચાર
મહેનત/ ઉદ્યમ /પુરુષાર્થ /પરિશ્રમને લગતા સુવિચાર
મહેનત માટેના અનેક સમાનર્થી શબ્દો મળે છે.
એટલું જ નહીં મહેનતનું જીવનમાં અગત્ય પણ ખાસ છે એ આપણે સૌ જાણીએ છીએ.
અહી પરિશ્રમ, ઉદ્યમ કે પુરુષાર્થ ને લગતા મહાપુરુષોના વિચારો રજૂ કર્યા છે.

અસફળતાથી ગભરાયા વગર લગાતાર પ્રયત્ન કરવાવાળા
લોકોના ખોળામાં સફળતા જાતે જ આવીને બેસી જાય છે.
– ભારવિ
પરિશ્રમ આપણને ત્રણ આફતોથી ઉગારે છે : કંટાળો, કુટેવ અને જરૂરિયાત.
– સર વૉલ્ટર
પરિશ્રમ કરવો તે પ્રાર્થના છે.
– સંત બેનેડિક્ટ

જેમ શક્તિ ઓછી તેમ મહેનત વધારે કરવી પડે.
– ફાધર વાલેસ
જેણે વધારે પરસેવો પડ્યો છે
એને ઓછું લોહી બાળવું પડશે.
– નુફાત
વારંવાર પ્રયત્ન કરવાથી
અસંભવ પણ સંભવ બની જાય છે.
– યોગવશિષ્ઠ
સાચો પ્રયાસ કદી નિષ્ફળ જતો નથી.
– વિલ્સન

આળસ શરૂઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં, દુઃખરૂપ,
જ્યારે પુરુષાર્થ શરૂઆતમાં દુઃખરૂપ હોય છે પણ અંતમાં સુખરૂપ.
– મહર્ષિ વેદવ્યાસ
નાનપણમાં મેં જોયું કે હું કામકરતો તેમાંના દસમાંથી નવ નિષ્ફળ નીવડતાં
પણ મારે નિષ્ફળ નીવડવું નહોતું
એટલે પછી મેં દસગણુ વધારે કામ કરવા માંડ્યું.
– જ્યૉર્જ બર્નાડ શો
ધન એ અથાક મહેનતનું ફળ છે.
– લૉક

જેમ ખેતર વગર વાવેલું બી નકામું બને છે
તેવી રીતે પુરુષાર્થ વગર પ્રારબ્ધ સિદ્ધિ મેળૅવતું નથી.
– મહાભારત
કાંઈ ન કરવા કરતાં કંઈક કરવું વધારે સારું છે
કારણ કે કર્તવ્ય, કર્મ ન કરનાર જ સૌથી મોટો પાપી છે.
– ટૉલ્સટોય
હું તો પ્રયત્નને જ પરમ સાફલ્ય માનું છું.
– કનૈયાલાલ મુનશી
મહેનત એ એવી સોનેરી ચાવી છે
જે ભાગ્યનાં દ્વાર ઉઘાડી નાખે છે.
– ચાણક્ય

આળસથી કટાઈ જવા કરતાં
મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે
– એમર્સન
પરિસ્થિતિને અનુકૂળ બનાવવાના પ્રયત્નો આજ સુધી ખૂબ કર્યા,
હવે પરિસ્થિતિને અનુકૂળ બનવાના પ્રયત્ન કરતા જાવ.
– રત્નસુંદરવિજયજી
આજે જે પુરુષાર્થ છે તે જ કાલનું ભાગ્ય છે.
– પોલ શિટર
પ્રતિભા મહાન કાર્યોનો પ્રારંભ કરે છે
પણ એ પુરાં તો પરિશ્રમથી જ થાય છે.
– જૂબર્ટ
Comments
Post a Comment